પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદરમા આજે મેઘરાજાની કૃપા જોવા મળી હતી અને બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો બીજી તરફ દરિયો પણ તોફાની જોવા મળી રહ્યો છે. અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
હાલ વરસાદ વચ્ચે મોટી સંખ્યા લોકો ચોપાટી ખાતે પહોંચ્યા હતા અને સેલ્ફી લેવાની ઘેલછામા દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળતા વચ્ચે જીવનુ જોખમ લઇ રહ્યા હોવાનુ કહેવાય છે. ગઇકાલે જ ચોપાટી ખાતેના દરિયામા નાહવા પડેલા ચાર યુવાનો પૈકી એ યુવાનનુ ડુબી જવાથી મોત થયુ હતુ તંત્ર દ્રારા ચેતવણી આપતા સાઇન બોર્ડ પણ મુકવામા આવ્યા છે છતા આજે અનેક લોકો દરિયાકાંઠે સેલ્ફી લેતા નજરે પડયા હતા ત્યારે દુર્ઘટના સર્જાશેતો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya