પાટણ, 28 જૂન (હિ.સ.)ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાના પ્રસંગે પાટણ ફોટોગ્રાફર એસોસિયેશને રેલવે સ્ટેશન વિસ્તારમાં સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. એસોસિયેશન છેલ્લા બે વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરે છે.
કેમ્પમાં પાટણના પ્રસિદ્ધ શુદ્ધ ઘીના દેવડાનું કુલ ૨૧ મણ વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તોને દેવડાની પ્રસાદી આપવામાં આવી હતી. સેવા કાર્યમાં પ્રમુખ નીતિનભાઈ પટેલ અને હિતેશ પટેલ સંડેરના નેતૃત્વમાં તમામ ફોટોગ્રાફર મિત્રો તથા તેમના પરિવારના સભ્યોએ યોગદાન આપ્યું હતું.
પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાતું રહેશે. તેમણે સહયોગી તમામ ફોટોગ્રાફર મિત્રોને આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર