પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં આજે શનિવારે સવારથી મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે અને બે ઇંચ જેટલો વરસાદ પડી જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો છાયા રણ વિસ્તારમાં વરસાદી પાણીનુ લેવલ વધતા આસપાસના વિસ્તારના લોકોની ચિંતામા વધારો થયો છે. આજે સ્થાનિકો એકત્રીતત થયા હતા અને મનપા સામે આક્રોશ વ્યકત કર્યો હતો અને એવી જણાવ્યુ હતુ રણના પાણી ઉલેચવા માટે અનેક વખત રજુઆત કરવા છતા છાયા રણના પાણીનો નિકાલ કરવામા આવ્યો નથી જેના કારણે વરસાદ પડતાની સાથે રણના પાણીનુ સ્તર વધ્યુ છે.
પ્રતાપ મંડપ સર્વિસની આસપાસના વિસ્તારમા રણનુ પાણી ઘુસી જશે અને લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડશે મનપાની બેદારકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya