પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિએ પ્રાથમિક શાળા કોલીખડા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતગર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરએ કોલીખડા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવીને શૈક્ષણિક કીટ વિતરણ કરી વિધાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા અને વિવિધ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોલીખડા ખાતે 69 આંગણવાડી, 74 બાળવાટિકામાં અને ધો.1માં 64 બાળકોને પ્રવેશ અને ધોરણ 9 માં 121 અને ધોરણ 11માં 58 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો તેમજ બાળકોને વાલીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો.અને એસએમસીના સભ્યો સાથે બેઠક કરી હતી. આ તકે કોલીખડા ગામના સરપંચના પ્રતિનિધિ રાજુભાઈ હુણ તથા આચાર્ય અને વાલીઓ, બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya