સુરતમાં 24 કલાકમાં બે અંગદાન: પાંચ જીવમાં નવી આશા જગાવી
સુરત, 28 જૂન (હિ.સ.)- નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં થયેલા બે અનમોલ અંગદાનથી પાંચ દર્દીઓને નવજીવન મળ્યું છે. બમરોલીના 36 વર્ષીય મૃત્યુજય શર્મા અને વાંઝ ગામના 23 વર્ષીય સંજય વસાવાના પરિવારે માનવતાની મીસાલ આપી છે. બંનેના બ્રેઈનડેડ જાહેર થયા પછ
Organ donation


સુરત, 28 જૂન (હિ.સ.)- નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં થયેલા બે અનમોલ અંગદાનથી પાંચ દર્દીઓને નવજીવન મળ્યું છે. બમરોલીના 36 વર્ષીય મૃત્યુજય શર્મા અને વાંઝ ગામના 23 વર્ષીય સંજય વસાવાના પરિવારે માનવતાની મીસાલ આપી છે. બંનેના બ્રેઈનડેડ જાહેર થયા પછી પરિવારોએ તેમનાં મૂલ્યવાન અંગો દાનમાં આપવાનું સહમતી આપી હતી.

મૃત્યુજય શર્માની બે કિડની અને લીવર, જ્યારે સંજય વસાવાની બે કિડનીનું દાન કરાયું હતું. આ અંગો અત્યાધુનિક સારવાર માટે અમદાવાદની IKD હોસ્પિટલ અને ગાંધીનગરની એપોલો હોસ્પિટલ મોકલાયા હતા.

શર્મા બિહારના હાસપુરાના વતની હતા અને પાંડેસરાની ફેક્ટરીમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. એક અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થતા તેમનું બ્રેઈનડેડ જાહેર કરાયું. સંજય વસાવા પણ એક શ્રમિક હતા અને બાઈક અકસ્માતમાં ઘાયલ થયા પછી બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

ડૉ. નિલેશ કાછડીયા, ડૉ. કેતન નાયક અને Gujarat Nursing Councilના ઈકબાલ કડીવાલાની ટીમે બંને પરિવારોને અંગદાન વિશે સમજાવ્યું હતું. પરિવારજનોએ માનવતાની ભાવનાથી સહમતી આપી, જેને કારણે આ મહાન કાર્ય શક્ય બન્યું.

માનવતાનું મહેકતું ઉદાહરણ બનેલા આ દાતાઓના નામ અને કર્મ હંમેશા યાદગાર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande