પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો બીજા દિવસે ગૃહ વિભાગના ઉપ સચિવ વેદાંત એન જોષીએ બળેજ, ગેરેજ ગામ ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.ઉપ સચિવએ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને માતાપિતા અને દેશનું નામ રોશન થાય તે દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. વધુમાં તેમણે રમત ગમત ક્ષેત્રે અને વિવિધ પરીક્ષાઓ સહિતની પ્રવૃત્તિઓ માટે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પોતાના ગમતા વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને બીઆરસી પરેશભાઈએ પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બળેજ પે સેન્ટર શાળા બળેજ ખાતેથી 10 આંગણવાડી, 21 બાળવાટિકામાં અને ધો.1 માં 21 બાળકોને પ્રવેશ અને ધોરણ 9 માં 57 અને ધોરણ 11 માં 38વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમીક શાળા ગેરેજ ખાતેથી 12 આંગણવાડી,12 બાળવાટિકામાં અને ધો.1માં 10 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો અને ધોરણ 9માં 24 અને ધોરણ 11માં 32 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવવામાં આવ્યો હતો. અને બાળકોને કીટ આપવામાં આવી હતી. અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી અને શિક્ષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે સરપંચ માલદેભાઈ ગરેજા, બીઆરસી પરેશભાઈ, સીઆરસી ભરત નંદાણીયા, સહિતનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya