વડોદરા, 28 જૂન (હિ.સ.)- શહેરના આજવા રોડ નજીક કમલા નગર ખાતે આવેલા ઓમ સાઈ રેસિડેન્સીમાં રહેતી દક્ષાબેન મહેશભાઈ સોલંકી (ઉંમર અંદાજે 40 વર્ષ)એ શનિવારે બપોરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
દક્ષાબેન અને તેમના પતિ બંને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 5માં સફાઈ કર્મચારી તરીકે કાર્યરત છે. મળતી માહિતી અનુસાર, પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલૂ ઝઘડા ચાલતાં હતા. તણાવના કારણે દક્ષાબેને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હોવાનું અનુમાન છે.
બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મુકેશભાઈએ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આપઘાત પાછળના કારણોનું નિખાલસપણે શોધખોળ શરૂ કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે