વડોદરા, 28 જૂન (હિ.સ.)- શહેરના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલ દર્પણ પ્લાઝામાં રહેતા નિખીલ રાજેશભાઈ પારેખ (ઉંમર અંદાજે 30 વર્ષ), જે પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા, તેમણે શનિવારે આર્થિક તંગીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, નિખીલ પારેખ છેલ્લા કેટલાક સમયથી આર્થિક દબાણમાં જીવિત રહ્યા હતા. આ કારણે તેઓ માનસિક તણાવમાં હતા અને આખરે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.
આ ઘટના અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે