કુરેજા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર અકસ્માત, મોટી જાનહાની ટળી
પાટણ, 29 જૂન (હિ.સ.)સુરેન્દ્રનગરના ચાર વ્યક્તિઓ અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે હારીજ તાલુકાના કુરેજા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલના પુલ પર તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અગમ્ય કારણોસર સર્જાયેલા આ અકસ્માતમાં કાર પલટી ખાઈ હતી અને રોડ પર જ ફંગોળાઈ ગ
કુરેજા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર અકસ્માત, મોટી જાનહાની ટળી


પાટણ, 29 જૂન (હિ.સ.)સુરેન્દ્રનગરના ચાર વ્યક્તિઓ અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે હારીજ તાલુકાના કુરેજા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલના પુલ પર તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અગમ્ય કારણોસર સર્જાયેલા આ અકસ્માતમાં કાર પલટી ખાઈ હતી અને રોડ પર જ ફંગોળાઈ ગઈ હતી.

કારનો ખુબજ નાશ થતો જોવા મળ્યો હતો, પરંતુ સદનસીબે કાર કેનાલમાં ખાબકી નહોતી. જો તે કેનાલમાં પડી હોત તો મોટી જાનહાનીનો ભય રહેલો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બાકીના ત્રણ મુસાફરો સુરક્ષિત બચી ગયા હતા.

મોટી જાનહાની ટળી હોવાનું કારણ એ હતું કે, અકસ્માત છતાં કાર રોડ પર જ રહી હતી અને પાણીમાં ખાબકી નહોતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યાં હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande