મોબાઈલમાં સાયબર ક્રાઈમની કોલર ટ્યુન હટાવવા માંગ
પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદર સહિત રાજ્ય અને દેશભરમાં જ્યારે મોબાઈલમાં કોલ લગાડવામાં આવે છે ત્યારે સાયબર ક્રાઈમની 30 થી 40 સેકન્ડ લાંબી કોલર ટ્યુન વાગે છે એ સમય દરમિયાન ઈમરજન્સી આગ અકસ્માત, લુંટ જેવા સમયે મોડું થઈ જાય છે, તેથી લોકો હવે સાયબર ક્રા
મોબાઈલમાં સાયબર ક્રાઈમની કોલર ટ્યુન હટાવવા માંગ


પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદર સહિત રાજ્ય અને દેશભરમાં જ્યારે મોબાઈલમાં કોલ લગાડવામાં આવે છે ત્યારે સાયબર ક્રાઈમની 30 થી 40 સેકન્ડ લાંબી કોલર ટ્યુન વાગે છે એ સમય દરમિયાન ઈમરજન્સી આગ અકસ્માત, લુંટ જેવા સમયે મોડું થઈ જાય છે, તેથી લોકો હવે સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત બની ગયા છે માટે આ કોલરટ્યુનને દુર કરવા માંગ થઈ છે.

પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યું હતુ કે, સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા ફેલાવવા માટેની કોલરટ્યુન લોકોના કિંમતી સમયનો વ્યય કરી રહી છે, ખાસ કરીને ઈમરજન્સી સ્થિતિઓમાં.જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ, ફાયર બ્રિગેડ અથવા અન્ય આપત્તિ સેવાઓને કોલ કરે છે, ત્યારે 30-40 સેકન્ડની આ કોલરટ્યુન સાંભળવી પડે છે, જેના કારણે કિંમતી સમય નષ્ટ થાય છે અને જીવહાનીનું જોખમ વધે છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારને આ મુદ્દે સુચન કરવામાં આવ્યુ છે કે, આ કોલરટ્યુનને દુર કરવી જરૂરી છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આગ, અકસ્માત, લુંટ અથવા અન્ય આપત્તિના સમયે લોકોને તાત્કાલિક મદદ મળવી જોઈએ, પરંતુ આ લાંબી કોલરટ્યુનના કારણે મદદમાં વિલંબ થાય છે. તેઓએ સુચવ્યું કે, સાયબર સુરક્ષા વિશે જાગૃતતા ફેલાવવા માટે અન્ય વિકલ્પો જેમ કે એસ.એમ. એસ, સોશિયલ મીડિયા અથવા ટીવી/રેડિયો જાહેરાતો ઉપયોગમાં લેવાય, પરંતુ ઈમરજન્સી કોલ સમયે આવી અડચણ ન હોવી જોઈએ.આ મુદ્દો દેશભરમાં છે, અને સરકારે તેના પર તુરંત પગલાં લેવાની જરૂર છે.સાયબર સુરક્ષાની જાગૃતતા મહત્વપુર્ણ છે, પરંતુ તે ઈમરજન્સી સેવાઓમાં અવરોધરૂપ ન હોવી જોઈએ.સરકારે આ કોલર ટ્યુનને બદલવા અથવા દુર કરવા પર વિચાર કરવો જોઈએ તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande