ઊના નાં આમોદ્રા ગામે વ્હેલી સવારે દીપડા એ ઘર માં ઘુસી ખેડૂત ને ઘાયલ કર્યો..
ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) આજરોજ ઊના નાં આમોદ્રા ગામે ગામની મધ્યમાં હનુમાન મંદિર સામે રહેતા ૫૦ વર્ષીય ખેડૂત રમેશ બચુભાઈ ઝાલાવડીયા ને દીપડાએ ઘાયલ કરતા, વનવિભાગ ને જાણ થયેથી તાત્કાલિક ઘટના સ્થળે આવી દીપડા ને બેભાન કરી પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર
દીપડા એ ઘર માં ઘુસી ખેડૂત ને ઘાયલ કર્યો..


ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) આજરોજ ઊના નાં આમોદ્રા ગામે ગામની મધ્યમાં હનુમાન મંદિર સામે રહેતા ૫૦ વર્ષીય ખેડૂત રમેશ બચુભાઈ ઝાલાવડીયા ને દીપડાએ ઘાયલ કરતા, વનવિભાગ ને જાણ થયેથી તાત્કાલિક ઘટના સ્થળે આવી દીપડા ને બેભાન કરી પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે તેમજ ઘાયલ ખેડૂત રમેશભાઈ ને નજીક નાં આરોગ્ય કેન્દ્ર માં ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે.

વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ નાં સમયે રમેશભાઈ નાં પત્ની દક્ષા બેન ઉઠીને ફળિયામાં બહાર નીકળેલ એ સમયે દીપડાને જોઈ જતા દોડીને ઘરમાં ઘુસવા જતા દીપડાએ એની પાછળ છલાંગ લગાવેલ ત્યારે રમેશભાઈ જોઈ ગયેલ અને દીપડાને ભગાડવા અને તેમના પત્નીને બચાવવા રાડા રાડ કરેલ ત્યારે રસોડાની બારીના કાચ તોડી દીપડાએ રમેશભાઈ ને ઘાયલ કરી હાથના ભાગે ઇજાઓ કરેલ.

આમ આમોદ્રા નાં સીમતળ માં અનેક સ્થળોએ દીપડા , સિંહ જેવા વન્ય પ્રાણીઓના વસવાટ હોય અવાર નવાર ગામમાં આવી પશુઓનાં મારણ કરવાના કિસ્સા ઓ બનતા રહે છે, ત્યારે ગ્રામજનો માં ભય નું વાતાવરણ ફેલાયેલ હોવાનું જાણવા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande