ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) આજ રોજ વેરાવળ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વંડીએ થી રાત્રે ૯:૦૦ કલાકે વેરાવળ ગામ ના ખારવા યુવાનો દ્વારા ભગુડા ધામ (માં મોગલ) ના દર્શન ની પગપારા યાત્રા નું આયોજન કરેલ હતું આ યુવાનો ને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ના પટાંગણ માંથી વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા માં મોગલ પલક આઈ ના વરદ હસ્તે યાત્રા નું પ્રારંભ કરાવેલ હતો. વેરાવળ ખારવા સમાજના ૧૮ યુવાનો નું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ માં મોગલ પલક આઈ ના વરદ હસ્તે આ ૧૮ યુવાનોને હારતોડા કરી અને તેમની પદયાત્રા સફર થાય તે આશિષ થી શરૂવાત કરવામાં આવી હતી. તેમજ આ ખારવા સમાજના ૧૮ યુવાનોએ પણ માં મોગલ ની ફોટો આપી પટેલ જીતુભાઇ કુહાડા તેમજ માં પલક આઈ મોગલ ને આવકાર્યા હતા અને આ પ્રસંગે હાજર રહેલા ખારવા સમાજના ઉપપટેલ, બાબુભાઇ આગિયા, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ મચ્છીમાર એસોસિએશન ઉપ પ્રમુખ પ્રમુખ બાલાભાઈ કોટીયા, તથા તમામ આગેવાનઓ તેમજ બહોળી સંખ્યા માં ખારવા સમાજ ના ભાઈઓ બહેનો સાથે રહીને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ