જૂનાગઢ 29 જૂન (હિ.સ.) આ શાળા પ્રવેશોત્સવ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નાયબ સચિવ અવનીબેન જોષી, રુટ લાઈઝન અધિકારી, બી.આર.સી. કો ઓર્ડીનેટર ડૉ.બી.એ.નંદાણિયા, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતમાં આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને, બાલવાટિકાના પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટથી સન્માનિત કરીને વિદ્યા પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સરપંચ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી, સભ્યો ઉપસ્થિત રહયા હતા અને સુચારૂ આયોજન થકી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ