કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત, આંગણવાડી પ્રવેશોત્સવનું આયોજન
જુનાગઢ 29 જૂન (હિ.સ.) કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫- ૨૬ તેમજ આંગણવાડી પ્રવેશોત્સવ- ૨૦૨૫ નું આયોજન સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે મેંદરડા તાલુકાના રાજેસરમાં સરકારી પ્રાથમિક શાળા તથા સમઢીયાળા ગામે લે
આંગણવાડી પ્રવેશોત્સવ- ૨૦૨૫ નું આયોજન સમગ્ર


જુનાગઢ 29 જૂન (હિ.સ.) કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫- ૨૬ તેમજ આંગણવાડી પ્રવેશોત્સવ- ૨૦૨૫ નું આયોજન સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે મેંદરડા તાલુકાના રાજેસરમાં સરકારી પ્રાથમિક શાળા તથા સમઢીયાળા ગામે લેઉવા પટેલ સમાજ તેમજ અરણીયાળા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે નાયબ સચિવશ્રી નિકુંજ જોશી (મહિલા અને બાળ વિકાસ વિભાગ) ના અધ્યક્ષ સ્થાને અને શ્રી વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફીસર, આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત- જુનાગઢની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે નાયબ સચિવએ શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ કેળવણી નિરીક્ષણનો અગત્યનો ભાગ છે. શિક્ષણ થકી દેશના ઉજવવળ ભવિષ્યનું નિર્માણ થાય છે. પ્રોગ્રામ ઓફિસરએ પોષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા માતા, બાળકો અને કિશોરીઓમાં કુપોષણનું પ્રમાણ દુર કરવા માટે અતિ આવશ્યક કામગીરી કરવામાં આવે છે. જેમાં ટેક હોમ રેશન (માતૃશક્તિ,બાળશક્તિ,પૂર્ણાશક્તિ) થી તેમજ અન્ય સેવાઓ મારફત કુપોષણમાં ઘટાડો થાય તેમજ સુપોષિત અને શિક્ષિત સમાજનું નિર્માણ થાય છે.

આ પ્રસંગે આંગણવાડીમાંથી બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને કીટ વિતરણ કરીને વિદ્યા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ દ્વારા મેંદરડા તાલુકાના ચિરોડા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫- ૨૬ અંતર્ગત આંગણવાડી પ્રવેશોત્સવ- ૨૦૨૫ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવામાં આવી હતી. આંગણવાડીમાંથી બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ મેંદરડા તાલુકાના સાસણ સેજાના આંગણવાડી કેન્દ્ર ચિરોડા- ૨ ની મુલાકાત કરવામાં આવી હતી.

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર પ્રવેશપાત્ર ગ્રામ્ય તેમજ નગર પાલિકા વિસ્તારમાં કુમાર- ૪૦૨ તથા કન્યા- ૩૮૫ મળી કુલ- ૭૮૭ બાળકોને વિવિધ આંગણવાડીઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આંગણવાડીમાંથી બાલવાટીકામાં પ્રવેશ મેળવનાર, ગ્રામ્ય તેમજ નગર પાલિકા વિસ્તારમાં કુમાર- ૯૫૨ તથા કન્યા- ૮૨૯ આમ કુલ- ૧૭૮૧ બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમ પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત- જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande