પાટણના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાં સામે રહીશોનો આક્રોશ
પાટણ, 29 જૂન (હિ.સ.) : પાટણ શહેરના લીમડીચોક અને કસુંબીયાપાડા વિસ્તારમાં આવેલા ખાટકીવાડા જેવા રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કતલખાનાં ચલાવવાના મામલે સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રહીશોના જણાવ્યા મુજબ કેટલાક લોકો આ વિસ્તારમાં વિના પરવ
પાટણના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાં સામે રહીશોનો આક્રોશ


પાટણ, 29 જૂન (હિ.સ.) : પાટણ શહેરના લીમડીચોક અને કસુંબીયાપાડા વિસ્તારમાં આવેલા ખાટકીવાડા જેવા રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કતલખાનાં ચલાવવાના મામલે સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રહીશોના જણાવ્યા મુજબ કેટલાક લોકો આ વિસ્તારમાં વિના પરવાનગીએ પશુઓનો કતલ કરી રહ્યા છે, જેના કારણે લોકોના આરોગ્ય અને ધાર્મિક ભાવનાઓ પર આંચ આવી રહી છે.

રહિશોના જણાવ્યા અનુસાર, આ કતલખાનામાંથી પશુઓનું લોહી, માંસ અને હાડકાં સીધા ભૂગર્ભ ગટરમાં નાખવામાં આવે છે. પરિણામે વારંવાર ગટર ચોક-અપ થતી હોય છે અને ગંદું પાણી ઊભરાઈ રહી છે. ગટરનું પાણી દક્ષિણથી ઉત્તર તરફ વહેતું હોવાથી આ સમસ્યા સમગ્ર રહેણાંક વિસ્તારમાં ફેલાઈ રહી છે. ગટરના પાણીમાં લોહી અને માંસનાં અવશેષો આવતા રહેતાં લોકોના ઘરોનાં બાથરૂમમાં પણ ગંદકી ઉભરાય છે.

સ્થાનિક રહીશોએ વધુમાં જણાવ્યું કે આ કતલખાનાં માટે પાટણ નગરપાલિકા કે સરકાર તરફથી કોઈ લાયસન્સ લેવાયું નથી. જાહેર રસ્તાઓ પર લોહી વહે છે અને હિંદુ ધાર્મિક સ્થળો તથા મકાનની વચ્ચે આવાં કતલખાનાં ચાલુ હોવાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. રહીશોએ આ ગેરકાયદેસર કતલખાનાં તાત્કાલિક બંધ કરાવાની માંગ સાથે તંત્રને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande