પાટણ, 30 જૂન (હિ.સ.) : ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રોહિત સમાજ ધિરાણ મંડળીની નવમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆત ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સંત રોહિદાસજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત બાદ મંડળીના મંત્રી શ્રી ચીમનલાલે વાર્ષિક અહેવાલનું વાચન કર્યું હતું, જ્યારે પ્રમુખ અશોકભાઈએ મંડળીની પ્રગતિ અને લાભાલાભ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સભામાં ગૌતમ ચાણસ્મા, રમેશ ધારવા અને કે.ડી. પરમાર જેવા મહેમાનોએ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. મોહન મેસર અને મંત્રી સમાલ ગોળેએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અધ્યક્ષતા નિભાવી રહેલા મણી ખારાધરવાએ સભાને સંબોધિત કરતાં મંડળીના કાર્યોની પ્રસંસા કરી હતી.
આ કાર્યક્રમનું સફળ સંચાલન અમૃત દુનાવાડા અને જશુએ કર્યું હતું. અંતે મફતલાલે આભારવિધિ સાથે કાર્યક્રમને સમાપ્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર