રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડાના મોટાપોંઢા ખાતે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
રૂ. 1 કરોડ 41 લાખના ખર્ચે તૈયાર થયેલા આ પીએચસીમાં લેટેસ્ટ ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ
Valsad


વલસાડ , 29 જૂન (હિ.સ.)-રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ

મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે

રૂ. 1 કરોડ 41 લાખના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં

આવ્યું હતું.

આ પ્રસંગે

મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, પહેલા લોકો હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને લીવર

ટ્રાન્સપ્લાન્ટ સહિતની બીમારીઓના મોટા ખર્ચાને પહોંચી વળતા ન હતા જેથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શાસન ધુરા સંભાળી પ્રજાના આરોગ્યની દરકાર લઈ સમગ્ર દેશમાં

એક માત્ર ગુજરાતમાં મા કાર્ડની સુવિધા શરૂ કરાવી હતી. બાદમાં તેઓ વડાપ્રધાન બન્યા બાદ

સમગ્ર દેશમાં વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના લાગુ કરી હતી. જેમાં રૂ. પાંચ

લાખ સુધીની ફ્રી માં સેવા અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધારાના

રૂ. પાંચ લાખની સહાય આપતા આપણા રાજ્યના લોકોને હાલમાં રૂ. 10 લાખ સુધીની નિઃશૂલ્ક

આરોગ્યલક્ષી સેવા મળી રહી છે. રાજ્યમાં 40 થી વધુ મેડિકલ કોલેજ શરૂ કરાતા હવે ડોકટરોની

ઘટ પુરાઈ રહી છે જેથી આરોગ્ય સેવા વધુ સુદઢ બની છે. આમ, નાની નાની બાબતોનું ધ્યાન

રાખી સરકાર પ્રજાની સુખાકારીમાં વધારો કરી રહી છે. આગામી વર્ષ 2047 સુધીમાં આપણા દેશને

વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક વ્યક્તિ દેશના વિકાસમાં યોગદાન આપે એ મહત્વનું છે.

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ પીએચસીના લોકાર્પણથી

લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળતી થશે. લેટેસ્ટ ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે

આ પીએચસી તૈયાર કરવામાં આવ્યું છે. હવે કોઈ પીએચસીમાં ડોકટરોની ઘટ નહિ વર્તાય તેવુ

આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની

આગેવાનીમાં રસ્તા, પાણી અને વીજળી સહિતના અનેક કામો થઈ રહ્યા છે જેથી પ્રજા સુખાકારીના માર્ગે આગળ

વધી રહી છે.

ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા

આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંઘે જણાવ્યું કે, આ નવા પીએચસીમાં દર્દીઓને

નાનામાં નાની સુવિધા મળી રહેશે. બે એમબીબીએસ ડોકટરો સેવા આપશે. પાંચ સબ સેન્ટર આ પીએચસીના

તાબા હેઠળ આવે છે જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો સેવા આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગામે ગામ આરોગ્યલક્ષી સેવા ઘર આંગણે મળી રહે તે માટેનું સપનુ સાકાર

થઈ રહ્યું છે. સારા શિક્ષણની સાથે સ્વસ્થ આરોગ્ય પણ આવશ્યક છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના

કારોબારી ચેરમેન મિતેશ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કેતન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત

સભ્ય રતનબેન પટેલ, વાપી વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ, વાપી તાલુકા સંગઠન પ્રમુખ

સમય પટેલ, કપરાડાના ઇન્ચાર્જ ટીએચઓ

ડો. દિવ્યેશ પટેલ, ડો. જિનીતા પટેલ, ડો. કિંજલ ચૌધરી, અને ડો. સંજય ખાન્દ્રા સહિત આરોગ્ય ખાતાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande