પાટણ, 29 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના જાળેશ્વર પાલડી ગામમાં સરપંચની ચૂંટણીના પરિણામો બાદ હિંસક ઘટના સામે આવી છે. ગામના બે પક્ષો વચ્ચે મતદાન મુદ્દે વિવાદ સર્જાતા મારામારી થઈ છે.
ઘટનાની વિગતો મુજબ, પાટણ જિલ્લા પોલીસના અશ્વદળના કમ્પાઉન્ડની નજીક પકોડીની લારી લગાવી ઊભેલા એક વ્યક્તિ અને તેમના પિતાએ હારેલા પક્ષના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મત ન આપવાનો આરોપ મૂકીને લોખંડની પાઇપ અને લાકડી વડે લારી તોડી હતી અને લારીમાં રહેલા રૂ. 3,000 નીચે પડી ગયા હતા. એટલું જ નહીં, ચપ્પુથી હુમલામાં પકોડી વિક્રેતાને ઈજા પણ પહોંચી હતી, જેને આસપાસના લોકોએ બચાવ્યા હતા.
બીજી તરફ, અક્ષય રણજીત ઠાકોરે શૈલેષ જયંતિ ઠાકોર, જયંતિ, આશાબેન અને વિપુલ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, અક્ષયના કાકાના દીકરા અશ્વિન બાઇક સર્વિસ સ્ટેશન આગળ બેઠા હતા ત્યારે પકોડી લારીવાળાઓએ ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. બોલાચાલીમાં માથાકૂટ થઈ હતી. હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર