જમ્મુ, નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.)
આગામી યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે પવિત્ર અમરનાથ યાત્રાના જમ્મુ બેઝ
કેમ્પ યાત્રી નિવાસ (બેઝ કેમ્પ) ખાતે ટ્રાયલ રન યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન
અભૂતપૂર્વ સુરક્ષા સાથે બસો રવાના કરવામાં આવી હતી. આ માહિતી જમ્મુના ડેપ્યુટી
કમિશનર અચિન કુમાર વૈશ્ય દ્વારા આપવામાં આવી હતી.
તેમણે યાત્રાળુઓને મોટી સંખ્યામાં આવવા અપીલ કરી છે. વૈશ્યએ
જણાવ્યું હતું કે,” બેઝ કેમ્પમાં
યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. 38 દિવસની યાત્રા 03 જુલાઈના રોજ બાલટાલ અને પહેલગામથી શરૂ થશે.” અચિન વૈશ્યએ જણાવ્યું હતું કે,” આજે સરસ્વતી ધામ ખાતે ટોકનનું વિતરણ કરવામાં
આવશે.”
આ પહેલા રવિવારે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય
આપત્તિ પ્રતિભાવ દળે સંયુક્ત મોક લેન્ડસ્લાઇડ કવાયત હાથ ધરી હતી. આ કવાયત
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમરોલી, ટોલડી નાલા ખાતે કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” જમ્મુમાં આવેલું
ઐતિહાસિક મંડી રામ મંદિર બામ બામ ભોલેના નારાથી ગુંજી રહ્યું છે. યાત્રા પહેલા
દેશભરમાંથી સાધુઓ અહીં આવી રહ્યા છે. આ લોકો 12,7૦૦ ફૂટથી વધુ
ઊંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરવા માટે આવી રહ્યા છે. રામ
મંદિરમાં રહેવા, ખોરાક, પાણી અને
સ્વચ્છતાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ