ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજે, તા. ૩૦ જૂન ૨૦૨૫ના રોજ મુક્તિધામ, સેક્ટર-૩૦ ખાતે રથ ટાઈપની ૦૨ નંગ શબવાહિની મેયર મીરાબેન પટેલના વરદ્દહસ્તે સોંપવામાં આવી.
આ શબવાહિનીઓની ખરીદી વર્ષ ૨૦૨૪-૨૫ માટે મેયરની લોકસુવિધા તથા વિકાસના કામોની ગ્રાન્ટમાંથી કરવામાં આવી છે. દરેક રથ ટાઈપ શબવાહિનીનો ખર્ચ રૂ. ૨૨.૭૭ લાખ થયો છે અને કુલ રૂ. ૪૫.૫૪ લાખના ખર્ચે બે શબવાહિનીઓ ખરીદવામા આવી. આ શબવાહિનીઓથી જનતાને સમયસર અને સન્માનજનક અંતિમયાત્રાની સુવિધા પ્રાપ્ત થશે અને આ સેવા શહેરના મુક્તિધામોમાં ઉપલબ્ધ રહેશે.
આ દરમિયાન ડે.મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા તેમજ કાઉન્સિલરઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ