દાંતામાં જિલ્લા કોંગ્રેસની બેઠક દરમિયાન, ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ અંગે ગંભીર આરોપો લગાવ્યા
અંબાજી, 30 જુન (હિ. સ) બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. બેઠક પહેલાં શક્તિપીઠ અંબાજી મંદિરે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ તેમજ વાવના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ દાંતાન
NAVNIYUKT PRANUKHE  CONGRES BETHAK YOJAI


અંબાજી, 30 જુન

(હિ. સ) બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઈ હતી.

બેઠક પહેલાં શક્તિપીઠ અંબાજી મંદિરે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ

તેમજ વાવના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય

કાંતિભાઈ ખરાડીએ માતાજીનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ યોજાયેલી બેઠકમાં દાંતા

તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન

ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે.

ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી આખા

ગુજરાતમાં દારૂ સપ્લાયની લાઈનો ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીનું સંકલન કરીને તમામ

તાલુકાઓમાં એકસાથે જનતા રેડ કરીશું. પોલીસને કોઈ શરમ જ નથી. અત્યારે દરેક

તાલુકામાં ખુલ્લેઆમસ્ટેન્ડ ચાલી રહ્યાં છે. ખુલ્લેઆમ

હપ્તા લઈને દારૂનો ધંધો ચલાવવા દેવામાં આવી રહ્યો છે. . છેક સરકાર અને સુરત સુધી

હપતા પહોંચે છે. જો સરકાર બંધ નહીં કરાવે તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ આ

ગેરકાયદેસર ચાલતા ધંધા બંધ કરાવશે.

કાર્યકરોને સંબોધતાં ગુલાબસિંહે કહ્યું હતું કે આ દારૂબંધી માટે

એકલા ભાજપ જ નહીં, પોલીસ સામે પણ લડવાનું છે. ચૂંટણી પૂરી થાય એટલે ફરી જિલ્લામાંથી

દારૂ સપ્લાયની લાઈનો ચાલુ થઈ જાય છે. એક-એક વિધાનસભાની અંદર અનેક સ્ટેન્ડ ચાલે છે.

એક સ્ટેન્ડનો હપ્તોદોઢ લાખ રૂપિયા છે. એક દિવસ નક્કી

કરવું છે કે આખા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી એકસાથે જનતા રેડ કરે.

ગુલાબસિંહે કહ્યું હતું કે, હું ત્રણ ચૂંટણી લડ્યો એટલે મને ખબર છે

કે દારૂનો ધંધો કરનારા કોઈ કોંગ્રેસની મદદ કરતા નથી. પોલીસનું દબાણ આવે એટલે આવા

લોકો ભાજપની મદદ કરે છે. આના માટે આપે કામ કરવાનું છે. લડાઈ ઘણી લડાવની છે. હજી 3 વર્ષ બાકી છે.

ગુલાબસિંહે કહ્યું હતું કે, જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરે

ચોખ્ખી ના પાડી હતી કે, સુજલામ-સુફલામ જળસંચય યોજનામાં હવે કોઈ કામો કરવાના નથી

છતાં ત્યાંના એન્જિનિયરો અને ભાજપના કોન્ટ્રેક્ટરોએ ભેગા મળી કરોડૉ નાં કામો

કર્યાં, કારણ કે

તેમના જ કોન્ટ્રેક્ટરો હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande