રાજ્ય સરકાર દ્વારા 3 લાખની સહાય અને ધારાસભ્ય ફંડમાંથી, રૂ. 5 લાખ મળી કુલ રૂ. 8 લાખની સહાય ગામના વિકાસ માટે મળશે
વલસાડ, 30 જૂન (હિ.સ.)-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા કે,‘‘ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે. સશક્ત અને આત્મનિર્ભર ગામ એ તંદુરસ્ત રાષ્ટ્રની પૂર્વ શરત છે.’’ ગામડાઓ આપણા દેશની શક્તિ છે અને દરેક પંચાયત તેને વધુ મજબૂત બનાવે છે.જેથી ગ્રામ પંચાયતોની ચૂંટ
રાજ્ય સરકાર દ્વારા 3 લાખની સહાય અને ધારાસભ્ય ફંડમાંથી, રૂ. 5 લાખ મળી કુલ રૂ. 8 લાખની સહાય ગામના વિકાસ માટે મળશે


વલસાડ, 30 જૂન (હિ.સ.)-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા કે,‘‘ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે. સશક્ત અને આત્મનિર્ભર ગામ એ

તંદુરસ્ત રાષ્ટ્રની પૂર્વ શરત છે.’’ ગામડાઓ આપણા દેશની શક્તિ છે અને દરેક

પંચાયત તેને વધુ મજબૂત બનાવે છે.જેથી ગ્રામ

પંચાયતોની ચૂંટણી સર્વ સંમતિ અને વિના વિરોધે થાય તો ગામમાં વિકાસ માટેનું

હકારાત્મક વાતાવરણ સર્જાય. ગ્રામ્ય કક્ષાએ સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા

સધાય તો સ્થાનિક પ્રજા પણ વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લઈ શકે તેવા ઉમદા આશય સાથે

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ

અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ‘‘સમરસ ગામ યોજના’’ અમલમાં મુકવામાં આવી છે. આ

યોજનાનો લાભ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાનવા ગૃપ ગ્રામ પંચાયતે પ્રથમવાર

મેળવી પોતાના ગામને ‘‘સમરસ ગામ’’ જાહેર કર્યુ છે. જેથી પાનવા ગામમાં વિકાસના

કાર્યોને વેગ મળશે સાથે ઈકો ટુરિઝમની દિશામાં પણ આગળ વધશે.

ભારતના વિકાસમાં ગ્રામ્ય સંસ્કૃતિનો ખૂબ

જ મોટો ફાળો રહ્યો છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ભારતની લોકશાહીના મજબૂત આધાર સ્તંભનો પાયો છે.પંચાયતની ચૂંટણી

દિવસે દિવસે વધુ ખર્ચાળ બની રહી છે તેમજ પ્રચાર પ્રસારમાં પણ લોકોનો મહત્વનો સમય

પસાર થઈ જાય છે જેથી અનેક ગ્રામ પંચાયતો સમરસ યોજના તરફ વળી રહી છે. ગત બુધવારે

ગ્રામ પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામ પૂર્વે વલસાડ જિલ્લામાં કુલ 11 ગ્રામ

પંચાયતો સમરસ જાહેર થઈ છે. જે પૈકી ધરમપુર તાલુકાના પાનવા ગૃપ ગ્રામ પંચાયત

બિનહરીફ જાહેર થતા ગ્રામજનોએ ગામમાં સંપ, સૃહદભાવ, એકતા અને એકરાગિતા જાળવી રાખવા માટે કરેલી મહેનત સફળ રહેતા ખુશીની લાગણી ફરી

વળી હતી.

પાનવા ગામના માજી સરપંચ અને હાલના પંચાયત સભ્ય સુરેશભાઈ જે

ચૌધરીએ જણાવ્યું કે, એક તબક્કે અમારા

ગામમાં પણ ચૂંટણી થાય તેવી શક્યતા હતી પરંતુ ગામના લોકોને ભેગા કરી જણાવ્યું કે, ચૂંટણી થાય તો મોટે ભાગનો સમય પ્રચાર

પ્રસારમાં નીકળી જશે અનેહાલ ચોમાસામાં

ખેતી કામમાં અડચણ આવશે. આ સિવાય પૈસાનું પાણી થશે. ગામમાં સામ સામે ઉમેદવારો વચ્ચે

ઝઘડા થાય તો વેરભાર વધશે. જેથી ગ્રામજનોએ વિચાર્યુ કે, વાદ વિવાદમાં પડવા કરતા ગામનો વિકાસ કરવો હોય તો ‘‘સમરસ’’

એક માત્ર શ્રેષ્ઠ માર્ગ છે.

સમસર ગામમાં બિનહરીફ સરપંચ પદે

ચૂંટાયેલા સતિષ વેસ્તાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ગામમાં એકતા જળવાઈ રહે તે મુખ્ય ઉદેશ્ય હતો. મારી પત્ની

શંકુતલા સરપંચ પદે હતા ત્યારે ગામમાં રસ્તા, કોઝવે, પંચાયતનું નવુ મકાન, ટીટુખડકમાં સ્કૂલઅને મોબાઈલ

કનેકટિવીટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સફળતા મેળવી હતી. બાજુમાં ડુંગર પર

આવેલુ દાંડવળ ગામના લોકોએ બે કિમીને બદલે 20 કિમીનો ચકરાવો ખાવો પડતો હતો, જે અંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને

રજૂઆત કરતા હાલ રૂ. બે કરોડના ખર્ચે રસ્તો બની રહ્યો છે. જેથી પીરમાળ અને દાંડવળ

ગામને ફાયદો થશે. ઈકો ટુરિઝમની શક્યતા અંગે તેઓ વધુમાં જણાવે છે કે, અમારા પાનવા ગામમાંથી લાવરી નદી પસાર થતા

ગામ બે ભાગમાં વહેંચાયેલુ છે. જેમાં રિવર રાફટીંગ પણ થઈ શકે છે. ગામની ચારે ફરતે

ગાઢ લીલાછમ ડુંગરોથી શોભતુ અમારુ પાનવા ગામ સોહામણુ લાગે છે. આ સિવાય પાનવા ધોધનો

નજારો પણ પર્યટકોને આકર્ષે છે. જેથી અમારૂ ગામ ઈકો ટુરીઝમ તરીકે વિકસે તેવી ભરપૂર

શકયતા હોવાથી આ મિશન પર કામ શરૂ કરી દીધુ છે. ગામમાં દૂધ ડેરી નવી બની રહી છે અને

લાઈબ્રેરી બનાવવાનું પણ વિઝન છે.

ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, જે ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય તેમને ધારાસભ્ય ફંડમાંથી રૂ. 5 લાખ આપવાની

જાહેરાત કરી હતી. જે અંતર્ગત પાનવા ગામ સમસર જાહેર થતા ગામના વિકાસના ભાવિ આયોજન

માટે રૂ. 5 લાખ આપવામાં આવશે.

કુલ 8 વોર્ડ અને 2506ની

વસ્તી ધરાવતી ધરમપુરની પાનવા-ટીટુખડક જૂથ ગ્રામ પંચાયતને ધારાસભ્ય ફંડમાંથી રૂ. 5 લાખ અને સરકારની સમરસ ગામ યોજના હેઠળ રૂ. 3 લાખ સાથે ધો.8 ની અગ્રિમતાથી સગવડ

આપવામાં આવશે. કુલ રૂ. 8 લાખથી ગામમાં વિકાસના અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પડશે.

આમ, પાનવા

ગામ વિકાસની હરણફાળમાં અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યુ છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં

આત્મનિર્ભર ગણતંત્રની દિશામાં આગળ વધી રહ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande