ગાંધીનગર મનપાના મેયર તથા પદાધિકારીઓ દ્વારા, અર્બન હેલ્થ સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીની ઓચિંતી મુલાકાત
ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ, તા. 30 જૂન, 2025ના રોજ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે. એન.
અંબાપુર


અર્બન હેલ્થ સેન્ટર


ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ, તા. 30 જૂન, 2025ના રોજ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા તથા સ્થાનિક કાઉન્સિલરઓએ અંબાપુર વિસ્તાર તથા સેક્ટર-2 ખાતે આવેલ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ ચાલી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અને આરોગ્ય સેવાઓનું સ્થળ પર મૂલ્યાંકન કરી, નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાની ખાતરી કરવાનો હતો.

અંબાપુર વિસ્તારમાં હાલ પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે. મેયર મીરાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાએ સ્થળ પર આ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સાથે વિગતવાર ચર્ચા કરી. નાગરિકોને ઝડપથી સુવિધાઓ મળી રહે તે હેતુસર, મેયરએ કામગીરી શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી. આ ઉપરાંત, ડ્રેનેજ અને પાણી પુરવઠાની કામગીરી પૂર્ણ થયા બાદ તત્કાળ રોડ રસ્તાની કામગીરી શરૂ કરવા માટે પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા.

સેક્ટર-2 ખાતે આવેલ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની મુલાકાત દરમિયાન, મેયર અને અન્ય પદાધિકારીઓએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાતમાં ખાસ કરીને દવાઓના જથ્થાની તપાસ કરવામાં આવી, જેમાં ખાતરી કરવામાં આવી કે કોઈપણ દવા એક્સપાયર નથી. આ ઉપરાંત, હેલ્થ સેન્ટરમાં દર્દીઓને મળતી સારવારની વ્યવસ્થા, સ્ટાફની ઉપલબ્ધતા, અને સ્વચ્છતાનું સ્તર પણ તપાસવામાં આવ્યું.

મેયરએ હેલ્થ સેન્ટરના સંચાલનને વધુ સુદ્રઢ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે દર્દીઓને સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત સારવાર મળવી જોઈએ, અને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય તેની કાળજી લેવામાં આવે. સ્થાનિક કાઉન્સિલરશ્રીઓએ પણ હેલ્થ સેન્ટરના સ્ટાફ સાથે ચર્ચા કરી અને નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ઝડપી પગલાં લેવાની હાકલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande