મહેસુલ વિભાગના ઉપસચિવએ આયુર્વેદ દવાખાના ફટાણાની મુલાકાત લીધી
પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ફટાણા ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર (આયુર્વેદ દવાખાના)ની ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના ઉપ સચિવ હિનાબા જાડેજાએ આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણા આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર ડો જ
મહેસુલ વિભાગના ઉપસચિવએ  આયુર્વેદ દવાખાના ફટાણાની મુલાકાત લીધી.


મહેસુલ વિભાગના ઉપસચિવએ  આયુર્વેદ દવાખાના ફટાણાની મુલાકાત લીધી.


મહેસુલ વિભાગના ઉપસચિવએ  આયુર્વેદ દવાખાના ફટાણાની મુલાકાત લીધી.


મહેસુલ વિભાગના ઉપસચિવએ  આયુર્વેદ દવાખાના ફટાણાની મુલાકાત લીધી.


મહેસુલ વિભાગના ઉપસચિવએ  આયુર્વેદ દવાખાના ફટાણાની મુલાકાત લીધી.


પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ફટાણા ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર (આયુર્વેદ દવાખાના)ની ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના ઉપ સચિવ હિનાબા જાડેજાએ આકસ્મિક મુલાકાત લીધી હતી.

જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણા આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર ડો જયમલ ઓડેદરાએ દવાખાના માં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે ઓ. પી ડી, પંચકર્મ સુવિધા જેવી કે નાડી સ્વેદ, કટી બસ્તી, શિરોધારા, ગ્રીવા બસ્તી, નસ્ય, આયુર્વેદિક ઔષધિ, હર્બલ ગાર્ડનમાં ઉપલબ્ધ વનસ્પતિઓ વિશે જાણકારી આપી અને ઉપસચિવને માહિતગાર કર્યા હતા. અને ઉપસચિવને આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણાની કામગીરી જાણીને રાજીપો વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અંતર્ગત મહેસુલ વિભાગના ઉપ સચિવ હિનાબા જાડેજાની નિમણૂક પોરબંદર જિલ્લામાં કરી હતી. જે અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા તે દરમિયાન તેમણે ફટાણા આયુર્વેદિક દવાખાનાની મુલાકાત લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande