પાટણ, 7 જૂન (હિ.સ.) : સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના -11 વર્ષના કાર્યક્રમ અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુલ મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમના જિલ્લા સંયોજક સંજયભાઈ પટેલ દ્વારા આગામી કાર્યક્રમ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ કરેલ વિવિધ વિકાસના કાર્યોને પ્રજા સુધી લઈ જવા અનુરોધ કરવામાં આવ્યો, તે ઉપરાંત સિધ્ધપુર ના 2027 સુધીના વિકાસ મેપ બાબતે પણ જણાવ્યું.
આજની બેઠક માં સાથે શહેર પ્રભારી દાદાજી ચાવડા, સિનિયર આગેવાન શંભુભાઈ દેસાઈ, જિલ્લા ઉપ પ્રમુખ જશુભાઇ પટેલ, તાલુકા પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, શહેર પ્રમુખ કૌશલભાઈ જોષી, APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, શહેર પૂર્વ પ્રમુખ મનીષભાઈ આચાર્ય, કાર્યક્રમના જિલ્લા સહ સંયોજક અશોકભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, નગરપાલિકા ઉપ પ્રમુખ સોનલબેન ઠાકર, શહેર મહામંત્રી દશરથભાઈ પટેલ, મનોજસિંહ ઝાલા, તાલુકા મહામંત્રી અભુજી ઠાકોર, શૈલેષભાઈ પટેલ, કાર્યક્રમ મંડલ સંયોજક દુષ્યંતભાઈ ઠાકર, વિજયભાઈ મકવાણા, સહ સંયોજક કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ શુકલા, જે ડી પટેલ, ભરતભાઈ મોદી નગરપાલિકા સદસ્યશ્રીઓ, સંગઠન ના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્ર સંયોજકઓ તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર