સુરત, 7 જૂન (હિ.સ.)-છાપરાભાઠા વિસ્તારમાં મની ટ્રાન્સફર દુકાન પર નકલી ચલણી નોટો વટાવવા આવેલી એક સિક્યુરિટી ગાર્ડની હકીકત બહાર આવી છે. કિરણ હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે કામ કરતા સુજીત હરિનંદન પૌદારએ મની ટ્રાન્સફર માટે દુકાનદાર વશિષ્ઠ ગોરખસિંગને 100 અને 200 રૂપિયાની કુલ 51 નોટ આપી હતી. નોટો શંકાસ્પદ લાગતા વશિષ્ઠએ તેની તપાસ કરી તો નોટ બોગસ હોવાનું જણાયું.
દુકાનદારે તરત સુજીતને પકડી અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી સુજીતની અટક કરી હતી અને તેની પાસેથી કુલ રૂ.8000ની નકલી નોટો તથા એક મોબાઇલ ફોન કબજે કર્યો હતો.
પોલીસે સુજીતને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે સુજીતે પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કર્યો હતો અને તે કિરણ હોસ્પિટલમાં નોકરી કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે