પોરબંદર, 7 જૂન (હિ.સ.) : પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસ –2025 ની ઉજવણીનાં ભાગરૂપે 03 જૂન 2025 નાં રોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ધ ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પોરબંદર નાં સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ઉત્પાદન : ટકાઉ ઔદ્યોગિક વિકાસ તરફનો માર્ગ (MSME – એકમોની ભાગીદારી) નો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ધ ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પોરબંદરનાં પ્રમુખ જતીનભાઈ હાથીના પ્રાસંગિક ઉદ્બોધન અને મહાનુભાવોના સ્વાગત બાદ ધ સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર ડી આર પરમાર અને જનરલ મેનેજરશ્રી દ્વારા સ્વચ્છ ઉત્પાદન પદ્ધતિની મદદથી ઉત્પાદન પ્રક્રિયામાં પ્રદૂષણ અને કચરાનું ઉત્પાદન બનતા પહેલા જ તેને અટકાવવામાં આવે તે વિષે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં સીનીયર પ્રોજેક્ટ એન્જીનિયર, જી.સી.પી.સી. અભી પટેલ દ્વારા સ્વચ્છ ઉત્પાદન એટલે શું ? અને કુદરતી સંસાધનો (જેમ કે પાણી, ઊર્જા, કાચા માલ)નું વધુ સાવધાનીપૂર્વક અને કાર્યક્ષમ ઉપયોગ કરવો, પ્રદૂષણ અને ખતરનાક વેસ્ટને ઘટાડવું, જેથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થાય, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરીને વ્યવસાય માટે લાભદાયક બનવું, સ્વચ્છ ઉત્પાદનના મુખ્ય સિદ્ધાંતો, ટકાઉ ઔદ્યોગિક વિકાસ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદર ડી.આર પરમાર દ્વારા સ્વચ્છ ઉત્પાદન અનુલક્ષી પ્રશ્નની ચર્ચા કરી, ઉદ્યોગકારોમાં સ્વચ્છ ઉત્પાદન પદ્ધતિ અપનાવામાં આવે અને પર્યાવરણીય દૃષ્ટિએ વધુ સારાં વિકલ્પો ઔદ્યોગીક એકમો અપનાવામાં આવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 40 જેટલા ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya