પોરબંદર, 7 જૂન (હિ.સ.) : રાણાવાવ શહેરમાં પરિણીત મહિલાએ પોતાના પતિના માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ઝેરી દવા પી આયખું ટૂંકાવ્યું હતું.મહિલા ની માતાએ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.રાજકોટ ખાતે સાસરે રહેતી અને મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવની પરિણીત મહિલા એ પોતાના પતિને ત્રાસ ને કારણે રાણાવાવ ખાતે ઝેરી દવા પી જુવાન ટૂંકાવ્યું હતું.
મૃતક મહિલાની માતા ની ફરિયાદ અનુસાર પોતાની દીકરીના રાજકોટ ખાતે રહેતા સમીર સીરાજભાઈ જુણેજા નામના શખ્સ સાથે લગ્ન થયા હતા.સમીર અવાર- નવાર દારૂનો નશો કરી પોતાની પત્ની ને ઘરકામ કરવા બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી યુવતી પોતાના પિયર રાણાવાવ ખાતે આવી હતી તે દરમિયાન સમીર જુણેજા એ બીજા લગ્ન કરી લીધા હોવા નો એક વિડિઓ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી પરણીતાને માનસિક ત્રાસ આપતા પરણીતાએ રાણાવાવ ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરંતુ સારવાર દરમિયાન પરણીતાનું મોત થયું હતું. સમગ્ર મામલે પરણીતાની માતા ફરીબેન રજાકભાઈ ઇબ્રાહિમ મુલ્લા એ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે પોતા આ જમાઈ સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya