જૂનાગઢ 7 જૂન (હિ.સ.) નિયામક રોજગાર અને તાલીમ- ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. સંસ્થા જૂનાગઢ ખાતે પ્રવેશ સત્ર- ૨૦૨૫ માં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જેમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ ઉકત આઈ.ટી.આઈ. કે નજીકની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતેથી કે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in આ વેબસાઇટ ઉપરથી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
જેમાં રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦ ઓનલાઈન ભરવાની રહેશે. ઉપરોક્ત ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવાની, ચોઈસ ફીલિંગ કરવાની તેમજ પ્રવેશ પત્રકમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની છેલ્લી તારીખ ૩૦-૦૬-૨૦૨૫ સુધીની રહેશે.
આ પ્રવેશ પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે આઈ.ટી.આઈ.જૂનાગઢ કે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવાનો રહેશે. જેનો મહતમ લાભ મેળવવા સર્વે ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે.
આઇ.ટી.આઈ. જૂનાગઢ ખાતેથી વિનામૂલ્યે પ્રવેશ પત્રક ભરી આપવામાં આવશે. તેમ આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ