ઉના હેડ વર્ક્સ પર આવેલી ઉંચી ટાંકીમાં ભરી જૂથ યોજનાના ગામોમાં આવેલ સમ્પમાં પાણી વસ્તીના ધોરણે અને ઝોનના વારા મુજબ પાણીનું વિતરણ
જૂનાગઢ 7 જૂન (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગામોમાં જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. જિલ્લામાં ઉનાળાના ધ્યાનમાં રાખીને પાણીની કોઈ સમસ્યાના સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખીને આયોજન કરવામાં આવ્યું છે. ઉના તાલુકાના માણેકપુરા
જુનાગઢ જિલ્લાના ઊના તાલુકાના


જૂનાગઢ 7 જૂન (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગામોમાં જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. જિલ્લામાં ઉનાળાના ધ્યાનમાં રાખીને પાણીની કોઈ સમસ્યાના સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખીને આયોજન કરવામાં આવ્યું છે.

ઉના તાલુકાના માણેકપુરા ગામમાં પાણી ન મળવા અંગે થયેલી ફરિયાદ સંદર્ભે કાર્યપાલક ઈજનેર, જા.આ.બાંધકામ વિભાગ, વેરાવળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાણીના પાઇપ માં લીકેજને કારણે પાણી પૂરતા પ્રેશરથી પહોંચ્યું નહોતું પરંતુ હવે આ રીપેરીંગ કરી દેવામાં આવ્યું છે અને નિયમિત રીતે માણેકપુરા ગામને પાણી પહોંચાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ઉના-દિવ જૂથ પા.પુ. યોજના હેઠળ ઉના તાલુકાના -34 ગામો અને 01 શહેરનો સમાવેશ થયેલ છે. ઉના-દિવ જુ.પા.પુ.યોજનાનો સોર્સ રાવલ ડેમ અને નર્મદા - મહી પાઇપલાઇનમાંથી પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. રાવલ ડેમનું પાણી ચિખલકુબા હેડ વર્ક્સ થી પાણી પમ્પીંગ કરી ઉના હેડ વર્ક્સ પર પાણી લાવવામાં આવે છે.

જૂથ યોજનાના ગામોને પાણી આપવા માટે અંજાર ઝો, ગાંગડા ઝોન અને નવાબંદર એમ 03 ઝોન પાડવામાં આવેલ છે.

ઉના હેડ વર્ક્સ પર આવેલી ઉંચી ટાંકી માં ભરી જુથ યોજનાના ગામોમાં આવેલ સમ્પમાં પાણી વસ્તીના ધોરણે અને ઝોનના વારા મુજબ પાણી વિતરણ કરવામાં આવે છે. આ જૂથ યોજના હેઠળ ગાંગડા ઝોનમાં માણેકપુર ગામની 4191 વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે.

ગાંગડા ઝોનના સીમર, મ, દુધાળા, માણેકપુર ગામોને તા. 01.06.25 અને તા. 02.06.25 એમ 02 દિવસ પાણી આપવામાં આવેલ છે.

આ ગામને સીમર ગામ થી માણેકપુર ગામને સ્પેશિયલ જોડતી 160 મી.મી. પીવીસી પાઇપલાઇન લીકેજ હોવાથી તા. 05.06.2025 ના રિપેરીંગ કરવામાં આવેલ હતું.આ રિપેરીંગ કામ પૂર્ણ થતાં માણેકપુરા ગામને રાત્રે જ પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.અને તા. 06.06.2025 ના સવારના પૂરતા દબાણથી પાણી ચાલુ કરવામાં આવેલ છે.

આમ, ઉના હેડ વર્ક્સ પર આવેલી ઉંચી ટાંકીમાં ભરી જૂથ યોજનાના ગામોમાં આવેલ સમ્પમાં પાણી વસ્તીના ધોરણે અને ઝોનના વારા મુજબ પાણી વિતરણ કરવામાં આવે છે તેમ કાર્યપાલક ઈજનેર, જા.આ.બાંધકામ વિભાગ, વેરાવળની અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande