-આગ એટલી વિકરાળ હતી કે 10 ફાયર ફાઇટર પણ ઓછા પડ્યા હતા
-આગના બનાવને લઈ ફાયર બ્રિગેડ,પોલીસ ,જીપીસીબી અને અન્ય સંલગ્ન વિભાગો ઘટના સ્થળે પહોંચ્યા
-આગ ઓલવવા પાણી અને ફોમનો મારો ચલાવ્યો હતો આગનું કારણ હજુ અકબંધ
ભરૂચ 7 જૂન ( હિ. સ ) અંકલેશ્વર ,વાલિયા, દહેજ ,ઝઘડિયા આ બધી જીઆઇડીસીઓમાં ધડાકા સાથે આગ લાગવાના બનાવો દીનપ્રતિદિન વધી રહ્યા છે આવો જ એક બનાવો પાનોલી જીઆઇડીસીમાં આવેલ સ્ટરલાઈટ ઓર્ગેનિક્સ કંપનીમાં ધડાકા સાથે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી તેમ છતાં તંત્રએ મેજર કોલ આપ્યો ન હતો . આગ ઓલવવા ફાયર બ્રિગેડે 10 થી પણ વધુ ફાયર ટેન્ડર અને તેની ટીમ દ્વારા પ્રયાસ કર્યો હતો.
પાનોલીની સ્ટરલાઈટ ઓર્ગેનિક્સ કંપનીમાં કોઈ કેમિકલ પ્રક્રિયા કે શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કારણથી આગ આખી કંપનીમાં લાગી ગઈ હતી. કુદરતી રીતે આગ લાગતાની સાથે તેના હાજર કર્મચારીઓ કંપનીની બહાર દોડી આવતા એકપણ વ્યક્તિને જાનહાનિના વાવડ મળ્યા નથી. આગ લાગતા ફાયર વિભાગે તાત્કાલિક આવી મોરચો સંભાળ્યો હતો .અંકલેશ્વરના મામલતદાર દ્વારા આગજનીના બનાવને લઈ ઘટના સ્થળે આવી તાગ મેળવ્યો હતો અને અન્ય કંપનીઓએ પણ આગ ઓલવવા મથામણ કરી હતી. હાલ છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લાની જીઆઇડીસીઓમાં આવેલી કંપનીઓમાં આગના બનાવો વધી રહ્યા છે જ્યારે ઘણી વખત તો એમ લાગે છે કે આગ લાગી નથી પણ લગાવવામાં આવેલી હોય છે આ બાબતે આગ લાગ્યા બાદ ચોક્કસ તપાસ કરવી ખૂબ જરૂરી બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ