પાટણમાં તમાકુ નિષેધ પખવાડિયે 17 સફળ જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા
પાટણ, 8 જૂન (હિ.સ.) : વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પાટણ જિલ્લાના વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ અને તેમની ટીમે 26 મે થી 8 જૂન દરમિયાન વિશેષ પખવાડિયાની યોજનાની હતી. આ કાર્યક્રમો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ-હરિદ્વારના આશીર્વાદથી અને ગાયત્ર
પાટણમાં તમાકુ નિષેધ પખવાડિયે 17 સફળ જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા


પાટણ, 8 જૂન (હિ.સ.) : વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પાટણ જિલ્લાના વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ અને તેમની ટીમે 26 મે થી 8 જૂન દરમિયાન વિશેષ પખવાડિયાની યોજનાની હતી. આ કાર્યક્રમો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ-હરિદ્વારના આશીર્વાદથી અને ગાયત્રી પરિવાર પાટણ, NTCP વિભાગ, આરોગ્ય શાખા પાટણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એદલા-વામૈયા અને ધારપુર મેડિકલ કોલેજના મનોચિકિત્સક વિભાગના સહયોગથી યોજાયા હતા.

આ પખવાડિયા દરમિયાન આયોજનકારોએ 15 કાર્યક્રમોની યોજના બનાવી હતી, પરંતુ કુલ 17 કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કર્યા છે. તેમાં ગણેશપુરા વાલ્મિકી સમાજના સમૂહલગ્ન, એદલા, વામૈયા, મોરપા ગામો અને ધારપુર મેડિકલના વિદ્યાર્થીઓ તથા દર્દીઓ સાથે વાચા-વિચારવિમર્શનો સમાવેશ થાય છે. વધુમાં, બસ સ્ટેશન અને ટ્રેનોમાં મુસાફરોને માહિતી માટેનાં પુસ્તિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં મુકેેશભાઈ પટેલ, મુકેેશભાઈ યોગી, મહેશભાઈ પટેલ, નીરુબેન, હેતલબેન અને નીલાબેન સહિતના યુવા કાર્યકર્તાઓએ ઊંડો ફાળો આપ્યો હતો. ખાસ કરીને બે કાર્યક્રમો રાત્રે પણ યોજાયા હતા. જિલ્લા પંચાયત પાટણ અને યુઝફુલ યોગી યુનિયન દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં તેમજ ચાણસ્મા, કામલીવાડા, ચારૂપ અને બાલાજી ગ્રીન સોસાયટીના બાળકોના સન્માન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સમગ્ર અભિયાનનું મુખ્ય ઉદ્દેશ તમાકુથી થતા નુકસાન સામે જાગૃતિ ફેલાવવાનો રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande