સુરત, 8 જૂન (હિ.સ.)-ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ સુરત ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની પ્રેરક ઉપસ્થિતિમાં ભેંસાણ-વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિસાવદર અને ભેંસાણ મતવિસ્તારના ઉમેદવાર કિરિટભાઇ પટેલ પ્રાંસગીક સંબોધન કર્યુ હતું.
સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 2022માં ભાજપે 156 બેઠક જીતી છે તે ગુજરાતના મતદારો ના સાથ-સહકાર વગર શક્ય ન હતું . આજે વિઘાનસભામાં ભાજપની 161 બેઠકો છે તેને 163 કરવા આપનો સાથ સહકાર માંગવા આવ્યો છું. બે મહિનાથી એક ઉમેદવાર ભાજપ માટે અપ્રચાર કરી રહ્યા છે. તેમના એક નેતા ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં દિલ્હીથી આવ્યા હતા ત્યારે કહેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે પરંતુ 136 બેઠક પર ડિપોઝીટ જપ્ત થઇ ગઇ તેવા નેતા ગુજરાતમાં ફરી પેટા ચૂંટણી માટે આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતમાં તેમનુ ખાતુ ખુલ્યુ નથી. દિલ્હીની સરકાર જે ચલાવતા હતા તેમને દિલ્હીની જનતાએ ઓળખીને તેમને પણ ચૂંટણીમા હરાવી દીધા આવા નેતા તમને ચેલેન્જ કરે છે કે વિસાવદર જીતીને બતાવો.
પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતમાં ભાજપનો જે વિકાસ થયો જે રીતે પાર્ટી આગળ વધી તેમા સૌરાષ્ટ્રમા રહેતા મતદારોનો ખૂબ મોટો ફાળો છે. ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી એક ઘારુ સાશન કરે છે તેનો જશ ગુજરાતના મતદારોને જાય છે તે માટે આપનો આભાર અને અભિનંદન પાઠવું છું. વિસાવદર બેઠકના મતદારો પેટા ચૂંટણીમાં કમળ ખિલવશે તેવો વિશ્વાસ છે. પેટા ચૂંટણીમાં કેટલાય લોકો લોભ,લાલચ, ધમકીઓ આપશે અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશ પણ વિસાવદરમાં ઘણા વિકસીત કામ કરવાના છે એટલે ભાજપના ઉમેદવાર કિરિટ પટેલને જંગી મત સાથે વિજય અપાવવા વિનંતી.
કિરિટભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિસાવદર વિઘાનસભા પેટા ચૂંટણી માટે મતદાન આગામી 19 તારીખે થવાનું છે ત્યારે વિસાવદર-જુનાગઢ અને ભેસાણ તાલુકાના સુરતમા રહેતા મતદારોને ભાજપ તરફ મતદાન કરવા અપિલ કરુ છું. દેશમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ વાળી એનડીએ સરકાર અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે જેના કારણે વિસાવદરના મતદારો ભાજપ તરફ જ મતદાન કરશે તેવો ઉત્સાહ જોવા મળે છે. સુરતમાં રહેતા વિસાવદરના મતદારો ભાજપ તરફ મતદાન કરે તે માટે અપિલ કરુ છું કારણ કે 2012 થી આજદીન સુઘી વિસાવદર બેઠકમાં ભાજપનો પ્રતિનિધિ નથી. અમે વિઘાનસભા વિસ્તારના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં કમળ ખીલે તે માટે વિનંતી કરું છું. પેટા ચૂંટણીમાં 16 ઉમેદવાર માથી 4 ઉમેદવાર જ વિસાવદર વિઘાનસભાના મતદાર છે બાકીના 12 ઉમેદવારોમા કોઇ ઓલપાડ સુરત થી છે તો કોઇ સુરેન્દ્રનગર,ભરૂચ અને ગાંઘીનગર થી છે. પેટા ચૂંટણીમાં ભાજપ તરફી વધુ મતદાન કરી વડાપ્રધાન ને સંદેશો આપીએ કે વિસાવદર મતવિસ્તાર પણ ભાજપ સાથે છે.
આ કાર્યક્રમમાં સુરત શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, ઉમેદવાર કિરીટભાઈ પટેલ, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, મંત્રી મુકેશભાઈ, ધારાસભ્યઓ જયેશભાઇ રાદડીયા, પ્રવીણભાઈ ઘોઘારી, મતી સંગીતાબેન પાટીલ, સાંસદ મુકેશભાઈ દલાલ, જૂનાગઢના મેયર ધર્મેશભાઈ, સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાઈ સમિતિ ચેરમેન રાજનભાઈ શહેર, મહામંત્રીઓ કાળુભાઈ ભીમનાથ, કિશોરભાઈ બિન્દલ તથા વિવિધ સમાજ તથા સંસ્થાના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે