મોઢવાડા અને વિસાવાડા ગામે 5000 વૃક્ષોનું વાવેતર કરાશે
પોરબંદર, 8 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરને 15000 વૃક્ષોથી હરિયાળું બનાવવા માટેનું અભિયાન આગળ ધપી રહ્યું છે ત્યારે આ આયોજનના સ્વપ્ન દ્રષ્ટા એવા સંસ્થાના આગેવાનોએ એવી જાહેરાત કરી છે કે પોરબંદરના મોઢવાડા અને વીસાવાડા ગામને દત્તક લેવામાં આવ્યા છે અને ત્યાં
મોઢવાડા અને વિસાવાડા ગામે 5000 વૃક્ષોનું વાવેતર કરાશે


પોરબંદર, 8 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરને 15000 વૃક્ષોથી હરિયાળું બનાવવા માટેનું અભિયાન આગળ ધપી રહ્યું છે ત્યારે આ આયોજનના સ્વપ્ન દ્રષ્ટા એવા સંસ્થાના આગેવાનોએ એવી જાહેરાત કરી છે કે પોરબંદરના મોઢવાડા અને વીસાવાડા ગામને દત્તક લેવામાં આવ્યા છે અને ત્યાં 5000 વૃક્ષો વાવવામાં આવશે અને તેમાં ગ્રામજનોનો પણ જબરો સહયોગ મળશે.આ તકે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનના પ્રણેતા રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર એ જણાવ્યું હતું કે, પોરબંદર શહેરને હરિયાળુ અને રળિયામણું બનાવવા માટે 15,000 જેટલા વૃક્ષો વાવવાની કામગીરી ધમધમી રહી છે જેમાં અત્યાર સુધીમાં 8,600 જેટલા વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે અને બાકીના વૃક્ષો પણ વાવવામાં આવી રહ્યા છે.

શહેરના મુખ્ય રસ્તાઓ અને રાજમાર્ગો ઉપર વૃક્ષારોપણ બાદ હવે શહેરની શેરી ગલીઓમાં અને સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણની કામગીરી શરૂ થઈ છે અને તેમાં અમને સ્થાનિક કક્ષાએ લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે.આ ઉપરાંત રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે, હવે અમે અમારા અભિયાનને ગામડામાં પણ લઈ જવા ની કામગીરી કરી રહ્યા છીએ જેમાં હાલના તબક્કે મોઢવાડા અને વિસાવાડા ગામને દત્તક લેવામાં આવ્યા છે અને અહીંયા ગ્રામજનોના સહકારથી અંદાજે 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું જાહેર થયું છે.ગ્રામ્ય પંથકમાં પણ હરિયાળી ક્રાંતિ લાવી શકાય અને વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે લડી શકાય તેવા હેતુ સાથે આ અભિયાનને ગામડામાં લઈ જવામાં આવ્યું છે અને ગ્રામ્ય પંથકમાં તો આમ પણ વર્ષોથી લોકોનો સહકાર મળતો રહે છે અને ખેતરના શેઢે અને વાડીઓમાં વૃક્ષોનું વાવેતર લોકો કરતા હોય છે તેની સાથો સાથ હવે આ બંને ગામમાં સામુહિક રીતે વૃક્ષોનું વાવેતર કરીને 5,000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે જેમાં શાળા સહિત ધાર્મિક સ્થળો અને આજુબાજુના વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે તેથી ગ્રામ્ય પંથકમાં પણ અમારા અભિયાનને વેગવંતુ બનાવવા માટે અમે આગળ ધપી રહ્યા છીએ તેમ રામદેવ મોઢવાડિયા દ્વારા જણાવાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande