દયાળુ બની સેવાનું ધ્યેય રાખો, નફાની દ્રષ્ટિ નહીં: જસ્ટિસ એમ. આર. શાહનો યુવા તબીબોને સંદેશ
વડોદરા, 8 જૂન (હિ.સ.)- વડોદરા નજીક સ્થિત સુમનદીપ વિદ્યાપીઠના 12મા દીક્ષાંત સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ. આર. શાહે તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓને સેવા અને કરુણાનો માર્ગ અપનાવાનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે, “આજ
Vadodara


વડોદરા, 8 જૂન (હિ.સ.)- વડોદરા નજીક સ્થિત સુમનદીપ વિદ્યાપીઠના 12મા દીક્ષાંત સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ. આર. શાહે તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓને સેવા અને કરુણાનો માર્ગ અપનાવાનો સંદેશ આપ્યો.

તેમણે જણાવ્યું કે, “આજના યુગમાં તબીબી સારવાર સામાન્ય માનવી માટે ભારે ખર્ચાળ બની ગઈ છે. મારી તમારાં તમામ યુવા તબીબોને વિનંતી છે કે જરૂરિયાતમંદ દર્દીઓ સામે દયાળુ બનીએ અને ઓછા ખર્ચે સારવાર આપીએ — એવું કામ કરવું જોઈએ કે પૈસાના અભાવે કોઇ જીવ ન જાય.”

વિદ્યાપીઠના કાર્યક્રમમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગ, મેનેજમેન્ટ, પેરામેડિકલ અને ઓડિયોલોજી વિભાગના 843 વિદ્યાર્થીઓને ડિપ્લોમા, યુજી, પીજી અને પીએચડીની ડિગ્રી આપવામાં આવી. ઉપરાંત 30 ગોલ્ડ મેડલ વિતરણમાં 23 વિદ્યાર્થિનીઓએ ગૌરવ મેળવી દીધું.

જસ્ટિસ શાહે લૉ સ્ટુડન્ટ્સ માટે પણ સંદેશ આપતાં કહ્યું કે, “કાયદા ક્ષેત્રને માત્ર કમાણીનું સાધન ન બનાવો. પહેલા સેવા કરો, પછી કમાણી આવશે. નૈતિકતા અને પ્રામાણિકતા ક્યારેય ન ગુમાવવી જોઈએ.”

તેમણે યૂવાનોને રાષ્ટ્રની સેવા તરફ આગળ વધવા, આત્મવિશ્વાસ રાખીને પડકારોનો સામનો કરવો અને ક્યારેય હાર ન માનવી જેવી પ્રેરણાદાયક સલાહ આપી.

તેમના ન્યાયિક કારકિર્દીના એક મહત્વના ચુકાદાની ચર્ચા કરતાં એમ.આર. શાહે કહ્યું કે મહારાષ્ટ્રના હત્યા કેસમાં છ નિર્દોષ લોકોને ફાંસીની સજા મળેલી હતી. તેમની અરજી પર અમે કેસ ફરી ખોલાવ્યો અને જણાયું કે તેઓ 13 વર્ષથી નિર્દોષ હોવા છતાં જેલમાં હતાં. તેથી અમે તેમને નિર્દોષ જાહેર કરી રૂ. 5 લાખ વળતરની ચુકાદી આપી – જે મારો સૌથી યાદગાર ચુકાદો રહ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande