પોરબંદરમાં આઇકોનીક રસ્તાના નિર્માણની કામગીરી શરૂ
પોરબંદર, 8 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગર બન્યા બાદ શહેરની સુંદરતામા વધારો કરવામા આવી રહ્યો છે. પોરબંદર શહેરના પ્રવેશ દ્રારથી કમલાબાગ સુધીના રસ્તાને આઈકોનિક રોડ જાહેર કરવામા આવ્યો અંદાજે 86 લાખના ખર્ચે રસ્તાનુ શુશોભન કરવામાં આવી રહ્યુ છે હાલ આ કામગીરી ચ
પોરબંદરમાં આઇકોનીક રસ્તાના નિર્માણની કામગીરી શરૂ.


પોરબંદરમાં આઇકોનીક રસ્તાના નિર્માણની કામગીરી શરૂ.


પોરબંદરમાં આઇકોનીક રસ્તાના નિર્માણની કામગીરી શરૂ.


પોરબંદરમાં આઇકોનીક રસ્તાના નિર્માણની કામગીરી શરૂ.


પોરબંદર, 8 જૂન (હિ.સ.)

પોરબંદર મહાનગર બન્યા બાદ શહેરની સુંદરતામા વધારો કરવામા આવી રહ્યો છે. પોરબંદર શહેરના પ્રવેશ દ્રારથી કમલાબાગ સુધીના રસ્તાને આઈકોનિક રોડ જાહેર કરવામા આવ્યો અંદાજે 86 લાખના ખર્ચે રસ્તાનુ શુશોભન કરવામાં આવી રહ્યુ છે હાલ આ કામગીરી ચાલી રહી છે. પોરબંદર નગરપાલિકા હતી તે સમયે કર્લી પુલથી કમલાબાગ સુધીના રસ્તાને આઈકોનીક રોડ જાહેર કરવામા આવ્યો હતો અને તેમના શુશોભનનુ આયોજન કરવામા આવ્યુ છે પોરબંદર મહાનગર બન્યા બાદ હવે તેમની કામગીરી હાલ ચાલી રહી છે.

પીએમસીના કમિશ્નર એચ જે પ્રજાપતિના જણાવ્યા અનુસાર આઇકોનિક રોડ અર્તગત શહેરના પ્રવેશ દ્રારા ઓવરબ્રિજને રંગરોગાન કરી શુશોભીત કરવામાં આવ્યો છે તો રોડની એક સાઈડમા ડેકોરેટીવ લાઈટો લગાડવામા આવી છે તેમજ વચ્ચેના ડીવાઈડરમા સ્ટ્રીટ લાઈટ અને ટ્રી પ્લાન્ટેશન કરવામા આવશે સાથે આકર્ષક સ્ટેચ્યુ મુકવામા આવશે આઇકોનીક રોડની કામગીરી ચાલી રહી છે. શહેરનુ મુખ્ય પ્રવેશ દ્રારાથી કમલાબાગ સુધીના રસ્તાને શુશોભીત કરવામા આવશે ગાંધી જન્મભૂમિ અને સુદામાનગરી તરીકે જાણીતા પોરબંદરમા દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય ત્યારે શહેરની સુંદરતા માટે વધારો થશે શહેરમાં વિકાસના કામોને વેગ આપવામા આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande