ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025' અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મલેસણા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજના વડા ડૉ. બી.એચ. પંચાલ, ડૉ. બુમ્બડીયા, ડૉ. ગુલકરી અને કેન્દ્ર સરકારના ઔષધિય સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. સમાધાન તથા અમદાવાદ, આત્માના ડિરેક્ટર કે. કે. પટેલે કૃષિ, બાગાયાત અને ઔષધિય પાકોની વૈજ્ઞાનિક ઢબે ખેતી, પ્રાકૃતિક ખેતી સાથે સરકારની વિવિધ કૃષિ યોજાનાઓની જાણકારી શિબિરમાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ અને બહેનોને આપી હતી.
તદુપરાંત, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના એમ.ડી. કાશીરામભાઈ તથા ગજેન્દ્રસિંહે પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેરની માહિતી આપી હતી.
આ ખેડૂત શિબિરમા કુંડળ, કોંડલીયા, વિછીયા અને કુંવાર ગામના 250 ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ