પોરબંદર, 8 જૂન (હિ.સ.) : પોરબંદરમા મીશન સીટી અર્તગત બોખીરા વિસ્તારમાં 2448 આવાસ બનાવામાં આવ્યા છે આ આવાસની કામગીરી નબળી ગુણવત્તાળી હોવાના અવારનવાર આક્ષેપો કરવામાં આવ્યા છે આ મુદે મુળ પોરબંદરના હાલ અમદાવાદ ખાતે સ્થાઈ થયેલા રામ ઓડેદરા સંબધીત તંત્ર અને સરકારને અનેક વખત રજુઆત કરી છે છતા આ મુદે કોઈ પગલ લેવામાં આવ્યા નથી.
હાલ આવાસના મકાનો જર્જરીત બની ગયા છે, અવારનાવાર છતમાંથી પોપડા પડવાની ઘટના બને છે અહિં રહેત લોકોના જીવ પર જોખમ ઉભુ થયુ છે.ચોમાસામા કોઈ ર્દુઘટના સર્જાય તેવી ભીતી છે આવાસમા રહેતા લોકોનુ સ્થળાંતર કરવાની માંગ કરવામા આવી છે આ મુદે કોઈ કાર્યવાહી કરવામા નહિં આવતો આગામી તા. 16 જુનથી ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી છે. રામ ઓડેદરાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે આવાસ યોજનાની કામગીરી નબળી થઈ છે જેના કારણે આ પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. આ કામમા ભ્રષ્ટચાર થયાની સરકારમા રજુઆત કરી છે તેમ છતા કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી આથી હવે ના છુટકે અનસન કરવુ પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya