જૂનાગઢ 8 જૂન (હિ.સ.) કેશોદ શહેરી વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યા હોય જેને ચાર વર્ષ કે તેથી વધુ સમય ગાળો થયો હોય તેવા લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષ અંગે પાલિકા કચેરીમાં નોંધ કરાવવામાં તેમનું મહત્વ યોગદાન રહ્યું છે તેવા પર્યાવરણ પ્રેમી ગોરધનભાઈને ભારત વિકાસ પરિષદના સદસ્યો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખો.સદસ્યો સહીતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ