દાહોદ, 8 જૂન (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા નારદ જયંતીની ઉજવણી દાહોદ APMC ના હોલમાં કરવામાં આવી હતી
દાહોદ જિલ્લામાં નારદ જયંતીની ઉજવણી અનોખી રીતે દાહોદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા APMC હોલમાં કરવામાં આવી હતી આ નારદ જયંતિ પ્રસંગે સંઘ દ્વારા દાહોદ જિલ્લાના પત્રકારોની સાથે સંવાદનો વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘ દ્વારા આજનો દિવસજ કેમ પસંદ કર્યો તે બાબતે દાહોદ જિલ્લા કાર્યવાહ અલ્કેશ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નારદજી પોતે એક સંદેશા વાહક હતા અને તેઓ આ ભૂમિકા ભજવતા જે હાલના પત્રકારો ભજવી રહ્યા છે. જયારે વિભાગીયા કાર્યવાહ રણવીરસિંહ દ્વારા જણાવાયું કે સંઘ નું કામ વ્યક્તિ નિર્માણ નું છે અને પત્રકારો દ્વારા એવા સમાચારો અને સમસ્યાઓ પ્રસિદ્ધિ કરવામાં આવે કે જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે આપડે આપડા સમાચારો નું જાતે મંથન કરી ને મોકલવા જોઈએ જેથી આપડે રાષ્ટ્રને આપડી સંસ્કૃતિ અને જ્ઞાન જાળવી રાખવામાં મદદરૂપ થઈએ આ પ્રસંગે ધ્રુપલભાઈ સોની એ કહ્યું કે 2025માં સંઘ સોં વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યાંરે આપડા લોકોને સંઘ ની શું ભૂમિકા છે તે માટે સંઘે દ્વારા પ્રચાર વિભાગ શરુ કરવામાં આવ્યો છે જેથી રાષ્ટ્ર હિતમાં લોકોએ કયા કામો કરવા જોઈએ અને સંઘ એમાં શું મદદ કરી શકે તે બાબતે પત્રકારો સાથે સમન્વય રાખી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી રૂપે આગળ પહેલ કરી અને રાષ્ટ્ર હિતમાં કાર્ય કરી ભરાત માતાનું ગૌરવ વધારીએ.
આ પ્રસંગે દાહોદ RSS ના વિભાગ સહ કાર્યવાહ રણવીરસિંહ, જિલ્લા સંઘ સંચાલક અલ્કેશ ઘેલોત, ધ્રુપલ સોની, ભાવેશ પંચાલ તથા મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના રીપોર્ટર દ્વારા ઉપસ્થિત રહી સંવાદના કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો અને નારદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah