પોરબંદર, 8 જૂન (હિ.સ.) : ઉનાળાની ઋતુ ટૂંક સમયમાં વિદાય લઇ ચોમાસાની ઋતુનો પ્રારંભ થશે ત્યારે ગત તા.3 જૂનના રોજ પોરબંદર મામલતદાર દ્વારા વષાઋતુ - 2025 કંટ્રોલરૂમ કામગીરીના આદેશ પ્રાથમિક શિક્ષકોને કરવામાં આવ્યા છે.
જેના વિરોધમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર દ્વારા આ આદેશ પરત ખેંચવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના શિક્ષકોએ પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે, સંદર્ભ –1 વાળા પત્ર અન્વયે મામલતદાર પોરબંદર મારફત વષાઋતુ -2025 કંટ્રોલરૂમ કામગીરીના આદેશ પ્રાથમિક શિક્ષકોને કરવામાં આવેલ છે. સંદર્ભ-૨ વાળા પત્ર અન્વયે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમનની કલમ નં. 27 અન્વયે આવી કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી લઈ શકાય નહીં. આમ છતાં જો લેવામાં આવે તો નામદાર અદાલતના અનાદરનો પ્રશ્ન ઉદભવે છે. આમ છતાં મામલતદાર, પોરબંદર મારફત તા. 05/06/25 થી તા. 31/08/25 સુધી વર્ષાઋતુ-2025 કંટ્રોલરૂમ કામગીરીના આદેશો પોરબંદર તાલુકાના શિક્ષકોને કરેલ છે. હાલ શિક્ષકોની ઘટ હોય, શાળા શરૂ થવાની સાથે જ પ્રવેશોત્સવ વગેરે કામગીરી પણ હોય, આવી કામીગીરીથી શિક્ષણ પર માઠી અસર પડે છે. તો આ આદેશો રદ કરવા આપશ્રીને અમારી વિનંતી છે.ઉપરોકત સંદર્ભ-2 વાળા પત્ર અન્વયે આવી કામગીરી શિક્ષકો પાસેથી ન લેવા આદેશ થયેલ છે. આમ છતાં જો લેવામાં આવશે અને ભવિષ્યમાં નામદાર અદાલતના આદેશના અનાદરનો પ્રશ્ન ઉદભવશે તો તેની જવાબદારી જે તે આદેશ કરનાર અધિકારીની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya