રાજકોટ શહેરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
રાજકોટ 10 જુલાઈ (હિ.સ.) વિકસિત ભારતના નિર્માણ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક રાષ્ટ્ર, એક ચૂંટણી ની પહેલને જન જન સુધી પહોંચાડવા આજે રાજકોટ વિધાનસભા 71ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની આગેવાની માં પ્રબુદ્ધ ન
રાજકોટ શહેર મા પ્રબુદ્ધ નાગરિક સંમેલન  યોજાયું.


રાજકોટ 10 જુલાઈ (હિ.સ.) વિકસિત ભારતના નિર્માણ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક રાષ્ટ્ર, એક ચૂંટણી ની પહેલને જન જન સુધી પહોંચાડવા આજે રાજકોટ વિધાનસભા 71ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની આગેવાની માં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.

જેમાં ધાંગધ્રા વિધાનસભા ના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સર્વે પ્રબુદ્ધ નાગરિકોને માર્ગદર્શન આપ્યું.વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક રાષ્ટ્ર, એક ચૂંટણીની દ્રષ્ટિને સમગ્ર દેશમાં પ્રસિદ્ધ કરવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. આજ રોજ રાજકોટ વિધાનસભા નં-71ના માનનીય ધારાસભ્ય તથા રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

આ સંમેલનમાં ધાંગધ્રા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે આ પહેલથી થતી જનહિતની વાતો પર પ્રકાશ નાખતાં કહ્યું કે, એકસાથે ચૂંટણી થવાથી સમયમાં, ખર્ચમાં અને શાસન વ્યવસ્થામાં સુધારો શક્ય બનશે.

આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક નાગરિકોમાં જનજાગૃતિ ફેલાઈ હતી અને પ્રજાસત્તાકની પ્રક્રિયાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા માટે વડાપ્રધાનશ્રીની દ્રષ્ટિને સમર્થન મળ્યું હતું. આ સંમેલન વિકાસ માટેના એક સુદઢ પગથિયાની સાબિતી બન્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande