ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં તા. ૧૨ જુલાઈએ નેશનલ લોકઅદાલત યોજાશે
ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૧૨ જુલાઈ ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચ
ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં તા. ૧૨ જુલાઈએ નેશનલ લોકઅદાલત યોજાશે


ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૧૨ જુલાઈ ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તે માટે નેશનલ લોક અદાલત યોજાશે.

જેમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેંક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યૂ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે.

જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલી તાલુકા કાનુની સમિતિનો સંપર્ક કરવો એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગીર સોમનાથના અધ્યક્ષ વી.બી.ગોહિલ તથા સેક્રેટરી જે.એન.પટેલની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande