પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : વરસાદના વિરામ બાદ વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાને રિપેરિંગ કરવાની જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર માર્ગ મકાન વિભાગ દ્વારા કુતિયાણા શહેરમાંથી પસાર થતાં રોડ વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે શહેરના રસ્તાના થયેલા નુકસાન બાદ પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલ પેચવર્ક કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે માર્ગ મકાન વિભાગ રોડને લીધે લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં તેને ધ્યાનમાં લઈને માર્ગ મકાન વિભાગએ ક્ષતિગ્રસ્ત રોડ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya