સુરત, 16 જુલાઈ (હિ.સ.)- કેન્દ્રીય વિદ્યાલય-હજીરા ખાતે વિજ્ઞાનના શિક્ષકો માટે ‘ક્ષમતા
આધારિત શિક્ષણ’ વિષય પર પાંચ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે.
આ
પ્રસંગે શાળાના આચાર્યશ્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, 18 જુલાઇ
સુધી ચાલનારો આ વર્કશોપ ખાસ કરીને અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલયોના TGT વિજ્ઞાન
શિક્ષકો માટે યોજાઈ રહ્યો છે. જેનો હેતુ
ક્ષમતા આધારિત શિક્ષણ તકનીકો દ્વારા તેમની વર્ગખંડ અભ્યાસ પદ્ધતિઓને મજબૂત
બનાવવાનો છે. આ કાર્યક્રમ શ્રી અરવિંદો સોસાયટી દ્વારા અનુભવી શિક્ષકોના સહયોગથી
વ્યવહારુ વ્યૂહરચનાઓ અમલી બનાવી શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે યોજવામાં
આવ્યો છે.
આ
પ્રસંગે પ્રશિક્ષકો પીયુ ચૌધરી શોમ અને શુભાંગી મિગલાની સહિત
સહભાગી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે