ગીર સોમનાથના પૂર્વ સૈનિકો માટે અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે જોબફેરનું આયોજન
ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને રોજગારની તક મળી રહે તે હેતુસર ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે તા.૨૫/૦૭/૨૦૨૫ના રોજ પૂર્વ સૈનિકો માટે સવારે ૦૭.૦૦ વાગ્યાથી પૂર્વ સૈનિકો
ગીર સોમનાથના પૂર્વ સૈનિકો માટે અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે જોબફેરનું આયોજન


ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને રોજગારની તક મળી રહે તે હેતુસર ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે તા.૨૫/૦૭/૨૦૨૫ના રોજ પૂર્વ સૈનિકો માટે સવારે ૦૭.૦૦ વાગ્યાથી પૂર્વ સૈનિકો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ જોબફેરમાં ભાગ લેવા ઈચ્છુક પૂર્વ સૈનિકો તેમનું પૂર્વ સૈનિક તરીકેનું ઓરિજનલ ઓળખપત્ર અને બાયોડેટા/રેઝ્યૂમેની ૦૫ (પાંચ) કોપી સાથે હાજર રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande