- વિધાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે માહિતી અપાઈ
જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : વિદ્યાર્થીમિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોથી અવગત કરાવવાના હેતુથી જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડા ખાતે કેરિયર ફેઅર ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપા અને કાઉન્સિલર ધ્રુવસિંહ જાડેજા, દરબાર ગોપાલદાસ શૈક્ષણિક વિદ્યા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ, વિદ્યાનિકેતન માધ્યમિક શાળા અલીયાબાડાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ, જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડાના ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
સાથે જ કારકિર્દી માર્ગદર્શનના ચાર્ટ, ફાઈલ, બુક્સ વગેરેની પ્રદર્શનીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું જેનો લાભ ઉપસ્થિત વિદ્યાર્થિઓએ લીધો હતો. શાળાના પ્રિન્સીપલ એમ.પી.સિંહએ જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય દિશા માટે માર્ગદર્શન આપે છે અને તેમના આત્મ વિશ્વાસમાં વધારો કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT