સુરત, 4 જુલાઈ (હિ.સ.)- તા.01 જુલાઈથી નાલસા તથા MCPC દ્વારા 'મીડિયેશન ફોર ધ નેશન’ અન્વયે 90 દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઇકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા અને લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી કોર્ટમાંથી કેસોને મીડિયેશનમાં રિફર કરવાના પ્રયત્ન કરવાનો હેતુ છે. જેથી તમામ પક્ષકારો તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે, લગ્નજીવનની તકરારો, અકસ્માત વળતર, ઘરેલુ હિંસા, ચેક બાઉન્સ, કોમર્શિયલ વિવાદ, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરાર, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદન અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મૂકાવવાના પ્રયત્નો કરવા તેમજ આવા કેસોનો ત્વરિત નિકાલ થાય તે આ અભિયાનનો હેતુ યોજવામાં આવેલ છે, તેથી સમગ્ર જનતાને આ અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોતાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડિયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યસ્થીકરણથી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા, વધુમાં વધુ નાગરિકોને મધ્યસ્થીકરણ ઝુંબેશનો લાભ લેવા અનુરોધ છે.
વધુમાં આ બાબતે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો જિલ્લા કાનુની સેવા સત્તામંડળ-સુરતનો સંપર્ક કરવા ડી.આર.જોષી(મુખ્સય ન્યાયાધીશ અને સચિવ, જિલ્લા કાનુની સેવા સત્તામંડળ)ની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે