જિલ્લામાં ૮૩.૭૧ હજાર ખેડૂત ખાતેદારોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી, ૧૦ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રી નહીં થાય તો પી.એમ.કિસાન.ના હપ્તાથી વંચિત રહેશે ખેડૂતો
ગીર સોમનાથ, 8 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં
જિલ્લામાં ૮૩.૭૧ હજાર ખેડૂત ખાતેદારોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી, ૧૦ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રી નહીં થાય તો પી.એમ.કિસાન.ના હપ્તાથી વંચિત રહેશે ખેડૂતો


ગીર સોમનાથ, 8 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં ૪.૨૮ લાખમાંથી અત્યાર સુધીમાં માત્ર ૧.૧૦ લાખ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે.

ખેડૂતો ૧૦મી જુલાઇ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પી.એમ.કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. જ્યારે આગામી ૧૦મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ૨૫ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનોનો લાભ નહીં મળી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧.૧૨ લાખ જેટલા એકટીવ ખેડૂત ખાતેદારો કે જેઓ પી.એમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે, જે પૈકી ૦.૮૩ લાખ જેટલા ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રીની કાર્યવાહી પુર્ણ કરી છે જયારે, ૨૭,૮૪૮ જેટલા ખેડૂતોએ હજુ ફાર્મર રજીસ્ટ્રી કરાવી નથી. આગામી ૧૦મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

રજિસ્ટ્રેશન માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવા અનુરોધ પણ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, ફાર્મર ૨જિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે.

પી.એમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવી છે. જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ યોજાયો હતો. બાકી રહેલા ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકશ્રી, તલાટી કમ મંત્રીશ્રી કે VCE નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

જ્યારે બહારગામ રહેતા ખેડૂતો https://gjfr.agristack.gov.in/farmer-regis-try-gj/#/ વેબસાઇટ પર જઇ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઇ પણ નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઇ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે.

આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ/ જમીનના ઉતારાની નકલ- ૮અ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઇલ અથવા અન્ય મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઇ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી ફકત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande