જુનાગઢ 8 જુલાઈ (હિ.સ.) જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વન૯૭ કમ્યુનિકેશન લી.(PayTm) અમદાવાદ, યુવા શક્તિ ફાઉંન્ડેશન રાજકોટ દ્વારા (સિનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી.) અને એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની જૂનાગઢ બ્રાંચ માટે, ઉપરના એકમમાં સેલ્સ ઓફિસર, મશીન ઓપરેટર કે લાઇફ મીત્રની જગ્યાઓ માટે એસ.એસ.સી. થી સ્નાતક આઇ.ટી.આઇ. કે ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, - જૂનાગઢ ખાતે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ